પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
આ લેખમાં તમને જણાવીશું કે" પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" હેઠળ કેટલો લાભ મળે ? કેવા પરીવાર ને લાભ મળે? ક્યાં અરજી કરવી? શુ પુરાવા જોઈએ ? વગેરે જેવા પ્રશ્નો ના જવાબ વિશે જણાવિશુ.
લાભ કોને મળે
👉આ યોજનાનો લાભ સગર્ભા કે ધાત્રી માતા ને માત્ર પ્રથમ બાળ જન્મ સમયે મળેવા પાત્ર છે.
કેટલો લાભ મળે
👉આ યોજના અંતર્ગત સગર્ભા કે ધાત્રી માતાઓને રૂ. ૫૦૦૦/- ની સહાય તેના બૅન્ક/પોસ્ટ ખાતા મારફતે સગર્ભા અવસ્થામાં કે ધાત્રી અવસ્થામાં નીચેની ચોક્કસ શરત પુર્ણ કર્યે મળે છે.
✒પ્રથમ હપ્તો- સગર્ભાવસ્થા ની નોંધણી કરાવ્યા બાદ રૂ. ૧૦૦૦/-
✒બીજો હપ્તો- ઓછા મા ઓછી એક પુર્વ પ્રસુતિ તપાસ (સગર્ભાવસ્થા ના ૬ મહિના બાદ) રૂ. ૨૦૦૦/-
✒ત્રીજો હપ્તો - બાળ જન્મની નોંધણી કરાવ્યા બાદ (૧૪ અઠવાડિયા સુધી ની રસી) રૂ. ૨૦૦૦/-
નોંધ :- સંસ્થાકીય પ્રસુતિ બાદ સગર્ભા / ધાત્રી માતા ને વધારાના રૂ. ૧૦૦૦/- જનની સુરક્ષા યોજના મારફતે આપવામાં આવશે.
લાભ ક્યાં થી મળે
✒આંગણવાડી મા ફોર્મ ભરી જમા કરાવ્યા થી લાભ મળે.
✒મહિલા અને બાળ વિકાસ વિભાગ માથી
ક્યાં ક્યાં પુરાવા જોઈએ
(૧) આધાર કાર્ડ
(૨) બૅન્ક પાસબુક/ પોસ્ટ પાસબુક
(૩) આંગણવાડી મા નોંધણી, મમતા કાર્ડ ની ઝેરોક્ષ
✏"પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" વિશે વધુ માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો.
✏"પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" નુ ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

